રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતા 70 લાખની કિંમતનું ફર્નિચર બળીને ખાખ

શહેરના જનિતા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ 8 ફાયર ફાયટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. અંદાજે 60 થી 70 લાખની કિંમતનું ફર્નિચર નાશ પામ્યું છે. આગ એટલી ગંભીર છે કે ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. ફર્નિચરના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જો આગ વધુ ગંભીર બનશે તો નુકસાનનું પ્રમાણ વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે.
ફાયર ચીફ ઓફિસર આઈ.વી. ખેરેએ જણાવ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી ફેલાઈ ગઈ હતી. આખી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. હાલ આગ કાબૂમાં છે. ઉપરના માળે માત્ર આગ છે જેને બુઝાવવામાં આવી રહી છે. ફર્નિચરના ગોડાઉનમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક નાની તણખલાની ઘટના બની હતી. જેનાથી આગ ફેલાઈને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગમાં ફર્નિચરની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત વોટર કેનનનો ઉપયોગ કરીને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને 2 થી 3 વાગ્યાની આસપાસ કાબુમાં આવે તેવી શક્યતા છે.
What's Your Reaction?






