અમદાવાદના સિંધુભવન ખાતે ફરી એકવાર જાહેરમાં નજીવી બાબતે મારા-મારી ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે એક ઇસમ દ્વારા લાકડી અને બેલ્ટ દ્વારા ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેમની ગાડીના કાંચ પણ તોડી નાખ્યા હતા. જેમાં એક વય્ક્તિને ઇજા પહોંચી હતી, ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.
અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ રાજપથ રંગોલી રોડ પાસે આવેલ ડેનીસ કોફી બાર ખાતે સુરેશનામનો વય્ક્તિ પાર્કિંગ કરી રહ્યો હતો ત્યારે પાર્લરની બહાર ઉભેલા અસમાજિક તત્વો જેમાં સાજન નામના વ્યક્તિ દ્વારા પાર્કિંગ કરવા જેવી નજીવી બાબતે સુરેશનામનો વય્ક્તિને લાકડી અને બેલ્ટ દ્વારા ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. બાદમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.
નોધનીય છે કે આ લોકો સામે અગાઉ સાજન અને સાહિલ નામના વય્ક્તિ પર ફરિયાદો થઇ ચુકી છે. આ લોકો દ્વારા અગાઉ શહેરના જોધપુર વિસ્તારના 29 વર્ષીય બિલ્ડર પ્રતિક ચોવટિયાનું અપહરણ કર્યું હતું, જ્યારે તે ગોતામાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈ રહ્યો હતો. તેના અપહરણકારોએ તેના પરિવાર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી.
એક કથિત કાવતરાખોર સાજન અમથા દેસાઈ તે વખતે ફરાર થઇ ગયા હતા. અને આ તમામ આરોપીઓ પાલડીમાં ધરણીધર પાસે આવેલા શુભદર્શન એપાર્ટમેન્ટના રહેવાસી છે.
શા માટે આ લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી નથી??
શું આ લોકો પર મોટા માથાના આશીર્વાદ છે??
શું પોલીસ ને આ બાબતની જાણ નથી અને જાણ છે તો હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરી રહી??
હજુ પણ આ લોકો દ્વારા ભવિષ્યમાં બીજી કોઈ પણ બબાલ કરે તો નવાઈ નહિ!!
હવે જોવાનું કે પોલીસ આવા અસામાજિક તત્વો સામે ક્યારે કરશે કાર્યવાહી??