ભાવનગરઃ નજીવી બાબતે હથિયારના ઘા ઝીંકીને યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

ગુજરાતમાં હત્યાના બનાવો મજાના બની ગયા છે. જ્યારે કોઈ નજીવી બાબત કોઈની હત્યાનું કારણ બની જાય છે ત્યારે સવાલ એ થાય છે કે, શું લોકોને કાયદાનો ડર નથી કે તેઓ કાયદાથી અજાણ છે? હત્યાના બનાવો રોજબરોજ સામાન્ય બની રહ્યા છે ત્યારે ભાવનગરમાં બે આરોપીઓ દ્વારા યુવાનની ઘાતકી હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરના કરચલીયાપરાણા સૈથપલ્લી વિસ્તારમાં દીપક મેર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. નજીવી બાબતે મૃતક દીપક મેર અને બે આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપી અને મૃતક વચ્ચે મારામારી પણ થઈ હતી. આરોપીઓ સાથે ઝપાઝપીમાં આરોપીઓએ તિક્ષ્ણ હથિયાર વડે મૃતકની હત્યા કરી નાખી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આરોપીઓ અને મૃતક વચ્ચે થયેલી મારામારીમાં બે આરોપીઓને પણ ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હત્યાના પગલે જિલ્લા પોલીસ વડા (ભાવનગર એસપી) ડો. હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી જેલ હવાલે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






