ધરપકડના ડર વચ્ચે અરવિંદ કેજરીવાલે AAPના તમામ ધારાસભ્યોને બોલાવ્યા

કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સના વિવાદ અને ધરપકડના ભય વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. દિલ્હી વિધાનસભામાં બોલાવવામાં આવેલી આ બેઠક બાદ અટકળોએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવે છે કે કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP) અને સરકારને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.
What's Your Reaction?






