રાજકોટમાં ગુરૂપુર્ણિમાના કાર્યક્રમમાં સ્પીચ આપવા જતાં ધોરણ 10ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક

Jul 3, 2023 - 17:28
 0  3
રાજકોટમાં ગુરૂપુર્ણિમાના કાર્યક્રમમાં સ્પીચ આપવા જતાં ધોરણ 10ના વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતની વાતો સામે આવી રહી છે. ક્રિકેટ રમતી વખતે, જીમમાં કસરત કરતી વખતે, વાહન ચલાવતી વખતે કે અન્ય રીતે હાર્ટ એટેકના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. તો આજે રાજકોટમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. વિદ્યાર્થી શાળાના કાર્યક્રમ માટે સ્ટેજ પર હાજર હતો, તે દરમિયાન તે અચાનક પડી ગયો. જોકે, વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આટલી નાની ઉંમરે એકના એક પુત્રના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આજે ગુરુપૂર્ણિમા હોવાથી ગુજરાતની ઘણી શાળાઓ અને કોલેજોમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલ રીબડા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા ત્રણ વિદ્યાર્થીઓ સ્ટેજ પરના પોડિયમને ઊંચકીને એક બાજુએ રાખીને કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે સ્ટેજ પર જ નીચે પડી ગયો. જેથી વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો.

મૃતક વિદ્યાર્થીનું નામ દેવાંશ ભાયાણી છે, જે રાજકોટના ધોરાજીનો રહેવાસી છે. દેવાંશના પિતા વિન્ટુભાઈ ભાયાણી ધોરાજીમાં પોલિમર પ્લાસ્ટિકની પાઈપ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. આજે પરિવારના એક બાળકના મોતથી ભાયાણી પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ દેવાંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે દેવાશનના મૃત્યુ અંગે પ્રાથમિક તારણ આપતાં જણાવ્યું હતું કે દેવશનને પહેલાથી જ હૃદયરોગ હતો. દેવાંશના હૃદયનું વજન સામાન્ય યુવક કરતાં બમણું હોવાનું જાણવા મળ્યું હતું. આજે એકાએક હૃદયનો ભાર વધી જવાથી હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, વિદ્યાર્થિનીના મોત પાછળનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow