અમદાવાદના ક્રીમ વિસ્તાર ગણાતા પ્રેરણાતીર્થ રોડ ઉપર આરસીસી રોડમાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું અમદાવાદના જાગૃત મીડિયા હાઉસ ‘જનતાની જમાવટ’ના કેમેરામાં કેદ થઈ ગયું છે.
અહીં જ્યારે જનતાની જમાવટની ટીમે મુલાકાત લીધીતો ચોંકાવનારી હકીકત જોવા મળી હતી અને જે કામગીરી થઈ રહી છે તે આ વાતનો જીવંત પુરાવો છે.
જ્યારે આરસીસી રોડ બને તે પહેલા નીચે સિમેન્ટ અને રેતીનું થર કરવાનું હોય છે ત્યાર બાદ ચોક્કસ માપ ધરાવતા ગાળાનું સળિયા કામ પણ કરાવવાનું હોય છે જે આખા રોડ ઉપર સળિયાનું કામ કરવાનું રહેતું હોય છે ત્યારબાદ સીધા કંપનીમાંથી આવતા સિમેન્ટ અને રેતીના માલનો ઉપયોગ કર્યા પહેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો પણ હોય છે આ પ્રકારનો એક સામાન્ય નિયમ હોય છે પરંતુ અહીં બની રહેલ આરસીસી રોડ બનાવતાં પહેલા નિયમોની અવગણના કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
સ્થળ ઉપર હાજર કર્મચારીએ જે રીતે જવાબ આપ્યો તેમાં તે સ્પષ્ટ કર્યું કે માત્ર જોઇન્ટમાં સળિયાનો ઉપયોગ કરી રહયા છે,આખા રોડમાં નહિ.
માપ માટે પણ તે શ્યોર નથી તપાસનું કહે છે.
ત્યારે સવાલ થાય કે ટેન્ડરની શરત તેમજ નિયમ વિરૂદ્ધ કામગીરી થઈ રહી છે કે કેમ? જો હા તો તેની જવાબદારી કોણ લેશે? જનતાની જમાવટ પાસે વીડિયો સાથેના પુરાવા હોવાછતાં સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર ભેદી મૌન ધારણ કરી રહયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.
આર.સી.સીના કામમાં નિયમ વિરુદ્ધ કામ તેમજ હલકી ગુણવત્તાનો માલસામન વપરાયો છે કે કેમ ? ક્વોલીટી કંટ્રોલનું સર્ટીફીકેટ લેવા તેમજ આ કામગીરીનું નિરીક્ષણ કરનાર ઈજનેરને સ્થળ નિરીક્ષણ અભિપ્રાય આપેલ છે કે કેમ? આ અંગેની સંપૂર્ણ તપાસ કોણ કરશે તે પણ સવાલો ઉઠવા પામ્યા છે.
આ રોડના કોન્ટ્રાક્ટર બી.આર.ગોયલ ઉપર કોના આર્શિવાદ કામ કરી રહયા છે તે પણ તપાસનો વિષય છે.
સાથેજ જે રીતે ચર્ચા ચાલી રહી છે તે મુજબ શુ અમદાવાદ મનપાના ડે.મેયર જતીન પટેલ સાથે કોન્ટ્રાક્ટર બી.આર.ગોયલ ઘરોબો ધરાવે છે કે કેમ?તે વાત પણ તપાસનો વિષય બની ગઇ છે.
આમ,વધુ એક નકલી રોડનું ધુપ્પલ સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે અને તેની તપાસ કોણ કરશે?તે તો સમય જ કહેશે.(ક્રમશઃ)