લોકસભા ચુંટણી મતદાનને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાણીમાં બેસી ગયું છે અને અનેક નેતાઓની નારાજગીને લઈ કોંગ્રેસના નેતાઓ,આગેવાનો,ધારાસભ્યો સહિતના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર રોહન ગુપ્તા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ નામ જાહેર થયા નાં ત્રણ દિવસમાં જ રોહન ગુપ્તાએ નારાજગી રાખી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને હાઈકમાન્ડ ઉપર અનેક ગંભીર આક્ષેપો કરી અને પિતાની તબિયતનું બહાનું કાઢી કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું.
જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા યંગ અને નવા ચહેરા ને સ્થાન આપવાની જગ્યાએ ધોરણ 10પાસ અને બાપુનગર થી ધારાસભ્ય તરીકે હારેલા હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવતા બાપુનગર કોંગ્રેસમાં નારાજગી થઈ ગઈ હતી.જેને લઇ ગઈકાલના રોજ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર એચ.એસ.પટેલ અને અમદાવાદ મહાનગરના અધ્યક્ષ અને એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના મહિલા આગેવાન જશુમતી બેન,વિનુભાઈ પરમાર,કોંગ્રેસ મહામંત્રી ગૌરવ,કમલેશ પરમાર,કેતન પરમાર,અશોકભાઈ ચૌહાણ સહિતના આગેવાનો સહિત 2000લોકો ભાજપમાં જોડાઈ ગયા હતા જેથી ગુજરાત કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો હતો.