મહાશિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો માંથી એક છે હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે મહાશિવરાત્રી નો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે હિંદુ પંચાંગ અનુસાર મહા મહિના ના કૃષ્ણ પક્ષને તેરસના રોજ આ પર્વ ની ઉજવણી થાય છે જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રી આ વર્ષે તારીખ 8 માર્ચે સાંજે 9:57 વાગ્યે શરૂ થશે અને તે 9 માર્ચે સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તેથી ઉદયતિથિનું પાલન કરવું જરૂરી નથી. આ વર્ષે, મહાશિવરાત્રિનું વ્રત 8 માર્ચ 2024 ના રોજ મનાવવામાં આવશે, આ દિવસે શહેરમાં શિવરાત્રીની અનેરા ભક્તિ ભાવ અને હર્ષોલાસ સાથે ઉજવણી કરાશે શિવાલયો ખાતે દિવસોથી શિવરાત્રી ની પૂર્વ તૈયારી નો ધમધમાટ જોવા મળી રહ્યો છે ભગવાન શિવની પૂજા માટે ચાર પ્રહર ની પૂજા નું ખુબ અનેરું મહત્વ છે.
– પ્રથમ રાત્રિ પ્રહર મુહૂર્ત સાંજે 6:25 થી 9:28 સુધી રહેશે. જેમાં
તલ, જવ, કમળ, બિલ્વપત્ર. શિવજીને અર્પણ કરવું.
– બીજી પ્રહર પૂજાનો સમય રાત્રે 9:28 થી 12:31 સુધીનો રહેશે. જેમાં
બિજોરું, લીંબુ, ખીર. શિવજીને અર્પણ કરવું.
– ત્રીજી પ્રહર પૂજા રાત્રે 12:31 થી સવારના 3:34 સુધી છે. જેમાં
તલ, લોટ, માલપુવા, દાડમ, કપુર. શિવજીને અર્પણ કરવું.
– ચોથી અને છેલ્લી પ્રહર પૂજાનો સમય સવારે 3:34 થી 6:37 સુધીનો રહેશે. જેમાં
અડદ, જવ, મગ, શંખીપુષ્પ, બિલ્વપત્ર. શિવજીને અર્પણ કરવું.
મહાશિવરાત્રિની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:15 થી 6.06 સુધીનો છે.આ સમયે જાગવું,સ્નાન કરવું વગેરે,ભગવાન ભોલેનાથનું સ્મરણ કરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. આ પછી અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 12:58 સુધી રહેશે. આ સમય દરમિયાન તમે ભગવાન ભોલેનાથનો અભિષેક કરી શકો છો. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથને પંચામૃત થી સ્નાન કરાવવું જોઈએ, તેની સાથે જ તેમને આઠ ઘડા કેસર જળ ચઢાવવા જોઈએ. આખી રાત ભગવાન શિવની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને ચંદનનું તિલક, બીલીપત્ર, ભાંગ, ધતુરા આ બધી વસ્તુઓ ભગવાન ભોલેનાથને અર્પણ કરવી જોઈએ. શિવરાત્રીના અવસરે મહાદેવને તેમની અતિપ્રિય કેસરની ખીર ચઢાવવામાં આવે છે. કુંવારી કન્યાઓ ઉત્તમ પતિ ની પ્રાપ્તિ માટે પણ શિવની આરાધના કરે છે
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર શિવરાત્રી ના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા અર્ચના માં ભાગ લે છે આ દિવસે શિવજીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે જો શિવાનીમાં જઈને ભગવાન શિવ ની સમક્ષ બેઠા બેઠા શાંત જીતે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ સ્તુતિ ,મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત માત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવામાં આવે તો શિવની પરમ કૃપા ના હકદાર બની શકાય છે મહાશિવરાત્રીના રોજ ભૂલથી પણ ઉપવાસ કરવામાં આવે તો તેનું ખૂબ જ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી ભક્તોને ખૂબ મોટો લાભ થાય છે
એવું કહેવાય છે કે એક વખત એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો જંગલમાં તે બિલવાપત્રના વૃક્ષ પર જઈને બેઠો બેઠો શિકારની રાહ જોતો હતો તેને ખબર ન હતી કે વૃક્ષની નીચે ભગવાન શિવનું લિંગ સ્થાપિત કરેલું છે અને તે દિવસે મહાશિવરાત્રીનો પર્વ હતો શિકારી પોતાનો સમય પસાર કરવા માટે એક પછી એક પાન તોડતો ગયો અને તે પણ શિવલિંગ પર પડતા ગયા ઝાડ પર બેઠા બેઠા ભૂખ્યા પેટે તે બિલ્વપત્ર તોડતો ગયો અને શિવજીને પત્ર ચઢતા ગયા આખો દિવસ પસાર થયો તો શિવજી પ્રસન્ન થયા અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી તેમ તેમણે મહાશિવરાત્રીનો મહિમા ગાન કરતા જણાવ્યું હતું
શિવજી ને અભિષેક કરવાથી આત્મશુધ્ધિ થાય છે.
શિવજી ને ગંધના સ્નાન કરવાથી પુણ્ય ની પ્રાપ્તિ થાય છે.
શિવજી ને નૈવેદ્ય ધરાવવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે.
શિવજી ની આગળ દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે.
શિવજી ની તાંબુલ ધરાવવાથી ભોગ ની ઉપલબ્ધિ થાય છે.
શિવજી ને દૂધ નો અભિષેક કરવાથી સંતાન ની પ્રાપ્તિ થાય છે.
શિવજી ને દહીં નો અભિષેક કરવાથી વાહનસુખ અને પશુધન વધે છે.
શિવજી ને મધ, ઘી, શેરડીનો રસ. અભિષેક કરવાથી લક્ષ્મી અને ધનસુખ વધે છે.
શિવજી ને દર્ભ ના જળ થી અભિષેક કરવાથી વ્યાધિ ની નિવૃતિ થાય છે.
શિવજી ને ગંગાજળ થી અભિષેક કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
શિવજી ને ભાંગથી સ્નાન કરવાથી વિજયનીની પ્રાપ્તિ થાય છે અને ઇચ્છિતમાનોકામના પૂર્ણ થાય છે.