સાત વર્ષ અગાઉ ઉધના રેલવે પ્લેટફોર્મ ઉપર છરીના ઉપરા છાપરી ઘા મારી પેસેન્જરની ઘાતકી હત્યા કરી નાસી જનાર ૦૨ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
મહે. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને શહેર તથા આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલ અનડીટેક્ટ ગુનાઓ શોધી તેમા સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સુચના અનુસાર સયુંક્ત પોલીસ કમિશ્નર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી.,ના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી.ના. PI એ.પી.ચૌધરીની સુચનાથી એસ.ઓ.જી.,દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના અંતર્ગત નાઓએ સુરત શહેર એસ.ઓ.જી., દ્વારા આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલ અનડીટેક્ટ ગંભીર ગુનાઓનો ડેટા એકત્રીત કરી તેમા નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતા સને.૨૦૧૭મા ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર રેલવેમા બેસવા બાબતે બે પેસેંજરો સાથે ત્રણ અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા મારી એક પેસેન્જરનુ ખુન કરેલ જે બનાવ બાબતે સુરત રેલ્વે પો.સ્ટે. I ગુ.ર.નં.-૧૨૫/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૦૨,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ જે અનડીટેક્ટ ગુનો એસ.ઓ.જી.દ્વારા ડીટેક્ટ કરી સદર ગુનામાં સંડોવાયેલ ત્રણેય અજાણ્યા ઇસમો પૈકી સુદર્શન ઉર્ફે સુધ્યા ઉર્ફે જાડા S/O પ્રભાશંકર ઉર્ફે પ્રભાકર પાટીલ વાળાને ઝડપી પાડવામા સફળતા મળેલ હતી. સદર ગુનામા પકડાયેલ આરોપીની એસ.ઓ.જી.ના. PI એ.પી.ચૌધરી નાઓએ સઘન પુછપરછ કરતા સદર ગુનામા મજકુર આરોપી સાથે તેના અન્ય બે મિત્રોની સંડોવણી પણ હોવાનુ જણાઇ આવેલ જેથી આ ગુનામા સંડોવાયેલ બન્ને ઇસમોને પણ તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી.ને સુચના આપવામા આવેલ.
જે સુચના અંતર્ગત એસ.ઓ.જી.,ના PSI આર.એમ.સોલંકી તથા ટીમના માણસો દ્વારા આ ગુનામા સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન HC અનિરૂધ્ધસિંહ મેરૂભા તથા HC હર્ષદભાઈ નવઘણભાઈ નાઓને મળેલ બાતમી આધારે લિંબાયત મહાપ્રભુનગર સર્કલ પાસેથી આરોપી શ્યામ સુંદર ઉર્ફે સતીષ ઉર્ફે કાલુ વિલાશ નિમજે ઉ.વ-૨૫, ધંધો-સ્વીગી મા નોકરી રહે-ઘર નં-૨૮, પ્રિયંકાસીટી સોસાયટી,મીદાસ સ્ક્વેર ની પાછળ, ગોડાદરા, સુરત શહેર. મુળવતન-તઈગામ, તા:લાકનંદુર, જિ:ભંડારા (મહારાષ્ટ્ર) વાળાને ઝડપી પાડેલ છે.
તથા PSI ડી.સી.વાઘેલા તથા ટીમના માણસો દ્વારા બીજા નાસતા ફરતા આરોપીની તપાસમા હતા તે દરમ્યાન એ.એસ.આઈ.હિતેશસિંહ દિલીપસિંહ તથા અ.હે.કો.રાજુભાઇ ભીમાભાઇ નાઓને મળેલ બાતમી આધારે લિંબાયત સંજયનગર સર્કલ પાસેથી આરોપી મુકેશ ઉર્ફે કેરી પ્રકાશભાઇ શિરસાઠ ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે-ઘર નં-૧૨ મંગલભવન નગર સંજયનગર પાસે લીંબાયત સુરત શહેર તથા ઘર નં-૧૬૧ શિવાજીનગર સંજયનગર પાસે લીંબાયત સુરત શહેર મુળવતન-કુલાડગામ થાના-પાંચોરા જિ:જલગાંવ (મહારાષ્ટ્ર) વાળાને ઝડપી પાડેલ છે.
જેથી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે આરોપીનો કબ્જો સુરત રેલ્વે પોલીસને સોંપી આપેલ છે.
બન્ને આરોપી નીચે મુજબના ગુનામા નાસતા ફરતા હતા.
(૧) સુરત રેલ્વે પો.સ્ટે. I ગુ.ર.નં.-૧૨૫/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૩૦૨,૩૨૪,૫૦૪,૧૧૪ તથા
જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.